અશુદ્ધ પીવાનું પાણી - રોગો લાવે તાણી! - Drinking water Pollution causing health problems.
(સ્વાસ્થ્ય અભિયાન - ૧ )
અશુદ્ધ પાણીમાં ઘણા વાયરસ, બેક્ટેરિયા, સુક્ષમજીવાણુઓ અને કૃમિ હોય છે જે શરીરમાં દાખલ થાય તો આંતરડામાં જમા થાય છે અને હાનિકારક પરિસ્થિતિનું સર્જન કરે છે.
આ પરોપજીવી કૃમિઓના ઉપદ્રવથી આંતરડામાં સોજો આવી જાય છે અને ત્યાં લોહી જવાથી અને તે જીવાણુઓ લોહી વાપરવાથી શરીરમાં રક્તની કમી જણાય છે. આંતરડામાં રહેલા પરોપજીવી સૂક્ષ્મ જીવો ખોરાકમાં રહેલા પોષક તત્વોનું શોષણ અટકાવે છે અને તે પોષક તત્વોને પોતે વાપરે છે, જે આપણા શરીર-મગજની તંદુરસ્તી અને વિકાસ માટે જરૂરી છે.
કુપોષણ અને નબળાઈની સાથે સાથે, આ રીતે માણસ ઘણી બધી પાણીજન્ય પરિસ્થિતિઓ અને પાણીજન્ય રોગોનો શિકાર બને છે.
આ બધામાં ઝાડા - ઉલ્ટી સૌથી વધારે જોવા મળે છે ખાસ કરીને ચોમાસાની ઋતુમાં. જયારે વરસાદી પાણીથી નદી-નાળા અને ખાબોચિયાઓ ભરાઈ જાય છે તે આ બધા સૂક્ષ્મ જીવોના ઉદ્ભવનું કારણ અને નિવાસ સ્થાન પૂરું પડે છે. ઝાડા-ઉલ્ટીની પ્રાથમિક સારવાર - ઘરેલુ ઉપચાર માટે થોડી જાણકારી જરૂરી છે.
આ સૂક્ષ્મજીવો યુક્ત પાણી જયારે પીવાના પાણીના સંગ્રહ સ્થાન સાથે મળી જાય છે એટલે કે આ પાણી જો પીવાના પાણીના કુવામાં જવતું હોય તો પણ આ બધા સૂક્ષ્મજીવો પીવાના પાણીમાં મળી જાય છે.
ખેતીમાં વપરાતા રાસાયણિક ખતરો અને જંતુનાશકો વરસાદના પાણી જોડે કુવા - તળાવો માં જમા થાય છે અને પાણીમાં રાસાયણિક ઝેર વધારે છે. કપડાં ધોવાના સાબુ કે રોજિંદા જીવનમાં વપરાતા અન્ય રસાયણો પણ પાણીમાં મળીને પાણીને રસાયણો યુક્ત કરે છે.
સૌરાષ્ટ્રમાં કિડની ના રોગો બહુજ વધારે પ્રમાણમાં જોવા મળે છે, જે પીવાના પાણીમાં રહેલા ઝેરી તત્વોને લીધે થાય છે. આ કિડનીના રોગનું કારણ સમજવાની અને તેને અટકાવવાની ખાસ જરૂર છે. જો આપણે સમાજને શુદ્ધ પીવાનું પાણી આપી શકીએ તો આ ૪૫% રોગોને ટાળી શકીએ.
👉 પાણી શુદ્ધિકરણની ઘરેલુ રીત:
💧 પીવાના પાણીને પહેલાતો સાફ ગળણાથી ગાળવું જરૂરી છે જેનાથી કોઈ મોટી અશુદ્ધિ દૂર થઇ જાય.
💧 ગાળ્યા પછી પાણીને સ્ટીલના તપેલામાં ૧૦ મિનિટ સીધી ઉકાળવું જરૂરી છે જેથી પાણીમાં રહેલ સૂક્ષ્મ જીવો દૂર થઇ જાય.
💧 ઉકાળેલ પાણી ઠંડુ થયા પછી તેમાં ધોયેલ કોથમરી રાખી ઢાંકીને રાખવું જેથી ભારે ધાતુની અશુદ્ધિ કોથમરીમાં શોષાય જાય, એ કોથમરી ને કાઢીને ફેંકી દેવી - વાપરવી નહિ.
👉 પાણી શુદ્ધિકરણની આધુનિક રીત:
આ બધી રીતોનો સમાવેશ કરતી પાણીને શુદ્ધ કરવાની આધુનિક રીત પણ છે - RO સિસ્ટમ.
💧 RO સિસ્ટમ એ પીવાના પાણીને શુદ્ધ કરવાનો સરળ અને સચોટ ઉપાય છે. RO સિસ્ટમ ઉપર જણાવેલ બધી રીતે પાણી શુદ્ધ કરે છે તે ઉપરાંત દુષિત પાણીને જુદું કરી નિકાલ પણ કરે છે.
💧 સિસ્ટમમાં ગળણા જેવી આધુનિક ફિલ્ટર પણ છે, જેમાંથી પસાર થઇ પાણી એક મેમ્બ્રેન માંથી પસાર થાય છે જ્યાં સ્પેશ્યલ રીતે અશુદ્ધિઓ ને જુદી તારવીને શુદ્ધ પાણીને સ્ટોરેજ ટાંકીમાં જમા કરે છે.
💧 RO સિસ્ટમ બે રીતે ફિટ કરી શકાય: "એટ સોર્સ" RO પ્લાન્ટ એટલે કે પીવાના પાણીના સંગ્રહ / ઉદ્ભવ સ્થાને - જે બધા પાણીને શુદ્ધ કરે અને "પોઇન્ટ ઓફ યુઝ" એટલે કે વાપરવાના સ્થાને - વ્યક્તિગત ઘરમાં.
💧 નાના ગામમાં પીવાના પાણીનું એક જ સંગ્રહસ્થાન હોઈ તો એક જ સિસ્ટમ વાપરી શકાય જ્યાંથી બધાને શુદ્ધ પાણી મળી શકે. મોટા શહેરોમાં જ્યાં કેન્દ્રીય સિસ્ટમ અશક્ય હોઈ ત્યાં પોઇન્ટ ઓફ યુઝ - વપરાશના સ્થળે વાપરી શકાય.
સૌરાષ્ટ્રમાં મોટા ભાગની કિડનીની બિમારી પાણીમાં ઝેરી રસાયણોથી સંબંધિત છે. હજુ સમય રહેતા આપણે આ સમસ્યાને ઊંડા સ્તરે સમજીએ અને કિડનીના રોગને અટકાવીએ. 95 લાખનું રોકાણ કરીને બનાવેલ આશરે 50 થી વધુ RO પ્લાન્ટ કામ કરવાની સ્થિતિમાં છે અને 50,000 થી વધુ લોકો દૈનિક ધોરણે શુધ્ધ પાણી પૂરું પાડે છે.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો